યાદોની ઘડિયાળ
યાદોની ઘડિયાળ
⏳ યાદોની ઘડિયાળ
ગામના પ્રવેશદ્વાર પાસે એક જૂનું લાકડાનું મકાન હતું.
મકાનની મધ્ય દિવાલ પર એક વિશાળ પિત્તળની ઘડિયાળ લટકતી હતી.
ગામની દરેક સવાર એનાં ટન…ટન… થતા ટકોરા સાથે જાગતી.
ખેડૂતો ખેતર તરફ નીકળતા.
બાળકો શાળાએ દોડતા.
અને સાંજે એ જ ઘડિયાળના ટકોરા સાથે ઘરનાં ચુલ્હાં સળગતા.
ગામ માટે એ માત્ર ઘડિયાળ નહોતું…
એ ગામનો ઘબકાર હતો.
પણ એક ચોમાસાની રાત્રે અચાનક ઘડિયાળ બંધ થઈ ગયું.
સૂઈઓ અટકી ગઈ.
ટકોરા શાંત થઈ ગયા.
સમય અટકી ગયો — રાતના બે વાગીને ત્રીસ મિનિટ પર.
લોકોએ બીજા ગામથી જાણકાર મિસ્ત્રી બોલાવ્યા.
ઘણાએ એનું મશીન ખોલ્યું.
કોઈએ તેલ નાખ્યું, કોઈએ સ્પ્રિંગ બદલ્યું.
પણ બંધ થયેલી ઘડિયાળ ફરી ક્યારેય ચાલી નહીં.
ધીમે ધીમે ગામના લોકોએ ઘડિયાળ તરફ જોવાનું ઓછું કરી દીધું.
પણ ત્યારથી એક અજાયબી શરૂ થઈ.
જે કોઈ એ ઘડિયાળને થોડો સમય જોઈ રહે…
તેના ચહેરા પર અચાનક બદલાવ આવી જાય.
કોઈની આંખ ભીની થઈ જાય.
કોઈ મલકી પડે.
કોઈ ઊંડા વિચારમાં ખોવાઈ જાય.
કારણ કે એ ઘડિયાળ હવે સમય નહીં…
પણ લોકોની પોતાની જૂની યાદો બતાવતી હતી.
રમિલાબેન જ્યારે એને જોતાં,
તેમને પોતાના લગ્નનો દિવસ યાદ આવતો —
લાલ સાડી, વરસાદ અને શરમાતો ચહેરો.
મહેશભાઈને પોતાના દીકરાનો જન્મ યાદ આવતો.
અને વૃદ્ધ ગોપાલકાકાને…
પત્નીનો છેલ્લો સ્પર્શ.
કોઈને અધૂરાં સ્વપ્નો યાદ આવતાં.
કોઈને વિખૂટા પડેલા સંબંધો.
ગામમાં જેટલા લોકો…
એટલી જીવતી કથાઓનો એ મૂક સાક્ષી બની ગયેલ હતું .
એટલે હવે ગામના લોકો એ ઘડિયાળને
“યાદોની ઘડિયાળ” કહેવા લાગ્યા.
વર્ષો વીતી ગયા.
એક દિવસ ગોપાલકાકાનો પૌત્ર ધ્રુવ શહેરમાંથી વેકેશનમાં ગામે આવ્યો.
એણે આશ્ચર્યથી પૂછ્યું.
“દાદા, આ ઘડિયાળ તૂટી ગઈ છે તો તમે લોકો એને હજુ કેમ સાચવી રાખી છે?”
ગોપાલકાકાએ હસીને ઘડિયાળ તરફ જોયું.
પછી ધ્રુવના માથા પર હાથ ફેરવી બોલ્યા.
“બેટા…
ચાલતી ઘડિયાળ સમય બતાવે છે.
પણ તૂટી ગયેલી ઘડિયાળ જીવન બતાવે છે.”
“એવું કેવી રીતે?”
ધ્રુવે નિર્દોષપણે પૂછ્યું.
ગોપાલકાકા ધીમેથી બોલ્યા.
“કારણ કે સમય તો કોઈ માટે અટકતો નથી.
એ પળે પળે આગળ નીકળી જાય છે…
પણ કેટલીક પળો માનવીના દિલમાં કાયમ માટે અટકી રહે છે.”
ધ્રુવે ફરી ઘડિયાળ તરફ જોયું.
પહેલીવાર તેને લાગ્યું —
ઘડિયાળ ભલે બંધ હતી…
પણ એની અંદર હજારો જીવન હજુ પણ ધબકતા હતા.
---
✨ સાર
કેટલીક વસ્તુઓ તૂટી જાય પછી પણ બિનઉપયોગી નથી બનતી.
કારણ કે એ જૂની યાદોની રક્ષા કરતી હોય છે.
આમ,આવી યાદોની ઘડિયાળની ટીક…ટીક… માટે કોઈ ચાવી કે પાવરની જરૂર નથી પડતી.
એ તો માનવીના દિલમાં અવિરત ચાલતી જ રહે છે.
