જાદુઈ ઝરણું
જાદુઈ ઝરણું
એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તે ખૂબ જ લાલચુ હતો. એક દિવસ તે વનમાં ગયો. ત્યાં તેણે જોયું કે એક સરોવરની પાસે એક ઝરણામાંથી દૂધની ધારા વહેતી હતી. બ્રાહ્મણ લાલચુ હોવાથી તેને ખૂબ લાલચ આવી. અને તે દૂધની ધાર પાસે ગયો. અને એક કટોરામાં તેણે ઘણું દૂધ લઈ લીધું. ઘરે ગયો એટલે તેણે તેની પત્નીને દૂધ આપ્યું. અને કહ્યું કે મેં આ ઝરણામાંથી દૂધ લાવ્યું છે. તેની પત્ની ખુશ થઈ અને દૂધની ખીર બનાવી.