દયાળુ પ્રભાવતી
દયાળુ પ્રભાવતી
મનુભાઈ નામના એક આદમી ગામમાં રહેતા હતા. તેમને એક દીકરી હતી. તેનું નામ પ્રભાવતી હતું. તે ખુબ દયાળુ છોકરી હતી. એક દિવસ તે બજારમાં જઈ રહી હતી. ત્યારે ત્યા એક ડોશીમા નો અકસ્માત થયો. અને પ્રભાવતી તે ડોશીમાની મદદ કરવા ત્યાં ગઈ. તેણે એક એમ્બ્યુલન્સ બોલાવી ને ડોશીમાને હોસ્પિટલમાં ભરતી કર્યા.
ડોશીમાને હોસ્પિટલમાં હોશ આવ્યો ત્યારે ડોશીમા ખૂબ ખુશ થયા અને પ્રભાવતીને આશીર્વાદ આપ્યા. આ બધી વાત તેના પિતાજી મનુભાઈ ને ખબર પડી. ભાઈ ખુબ ખુશ થયા અને તેમની દીકરી ને એક નોકરિયાત છોકરા સાથે પરણાવી દીધી. આ પછી મનુભાઈ ને તેમની દીકરી ઉપર ખૂબ જ લાડ આવતો હતો.