જાદુઈ સરોવર
જાદુઈ સરોવર
એક મોટું ગામ હતું. એ ગામમાં એક મોટું સરોવર હતું. એક દિવસ એ સરોવર પાસે એક છોકરો આવ્યો. તેને તરસ લાગતા તે સરોવરનું પાણી પીવા ગયો. ત્યાં એક ચમત્કાર થયો.
જળ દેવતા એ છોકરાને કહ્યું કે તું મારા પ્રશ્નોના જવાબ આપ તો તને આ પાણી પીવા મળશે. નહીંતર તું પાણી પીતા જ મરી જઈશ. છોકરાએ કહ્યું તમે મને પ્રશ્ન પૂછો હું તમને જવાબ આપું. જળ દેવતા કેટલાક છોકરાને પ્રશ્ન પૂછ્યા. અને છોકરા એ સાચા જવાબ આપ્યા. પછી છોકરાએ ધરાઈને પાણી પીધું.