ચંદુભાઈના રીંગણ
ચંદુભાઈના રીંગણ
ચંદુભાઈ નામના એક આદમી હીરજપુર ગામમાં રહેતા હતા. તેમની પત્ની અને તેમને એક છોકરો હતો. તેઓને ખુબ જ ભૂખ લાગતી હતી. ચંદુભાઈ એક દિવસ બજારમાં જતા હતા. ત્યાં જ રસ્તામાં તેમને ભૂખ લાગી. અને તે એક ઘટાદાર વૃક્ષ નીચે બેઠા. ત્યાં એક સ્ત્રી રીંગણ લઈને તેના ઘરે જતી હતી. ચંદુભાઈએ રીંગણ જોયા અને કહ્યું. કે બહેનજી આ રીંગણ મને આપી દો ને મારી પત્ની રીંગણનું મસ્ત મજાનું શાક બનાવશે. અને મને રીંગણ ખૂબ જ ભાવે છે.
પેલી સ્ત્રીને દયા આવી અને તેણે ચંદુભાઈને રીંગણ આપી દીધા. ચંદુભાઈ રીંગણ લઈને ઘરે ગયા. અને તેમની પત્નીને કહ્યું. કેતુના રીંગણનું શાક બનાવો. તેમની પત્ની શાક બનાવ્યું અને સાથે ઘઉંની રોટલી બનાવી. ચંદુભાઈ તેમની પત્ની અને તેમને છોકરાએ ધરાઈને શાક રોટલી ખાધી.