વિશ્વાસઘાત
વિશ્વાસઘાત
જ્યારે વ્યક્તિ પરનો વિશ્વાસ તૂટે છે,
ત્યારે વ્યક્તિનું જાણે દિલ રૂએ છે,
જ્યારે કોઈએ મૂકેલ ભરોસો તૂટે છે,
ત્યારે ત્યારે હૃદય પર જખમ પડે છે,
પ્રણયમાં જ્યારે બે દિલ મળે છે,
ત્યારે ખુશીઓનો જુવાળ ઊઠે છે,
પ્રણયભંગનો જ્યારે બનાવ બને છે,
જખમી થયેલ ત્યારે આ દિલ રડે છે,
શ્વાસથી વધુ કિંમતી વિશ્વાસ તૂટે છે,
ત્યારે વ્યક્તિ જીવતી લાશ થઈ ફરે છે.