વિશ્વ કવિતા દિવસ
વિશ્વ કવિતા દિવસ
1 min
432
કવિતા વાંચીએ ને કવિને બિરદાવીએ,
વિશ્વ કવિતા દિનની શુભેચ્છા આપીએ.
સાહિત્યકારની આરાધના કવિતા છે,
રચના રચીને સઘળું અર્પણ કરે છે.
મનનાં વિચારોને કલમ થકી ઉતારે છે,
ભાવના ભર્યા ભાવે આલેખન કરે છે.
કવિતા વાંચીને અર્થઘટન ઘણા થાય છે,
લખનાર જાણે પણ સમજે અલગ છે.
સમજો તો કવિતામાં સરસ્વતી વસે છે,
કવિની કલ્પનામાં સરગમનાં સૂર વસે છે.