વચન
વચન
આપેલા વચન હવે ક્યાં પળાય છે ?
સમયનાં ચક્રની જેમ એ પણ ફરી જાય છે,
હવે તો એકબીજાને મૂર્ખ બનાવવા જ અપાય છે વચનો,
વચનના વજનની ગરિમા હવે ક્યાં જળવાય છે ?
સંબંધોમાં રહી છે સ્વાર્થની સહાનુભૂતિ હવે,
એકબીજાંનાં મન પણ હવે ક્યાં સચવાય છે ?
વિશ્વાસ બંધાવવા રક્ષાકવચ ગણાતું હતું જે વચન,
એ હવે તો ફક્ત ઠાલા ઉપહાસોમાં જ ખર્ચાય છે,
સતયુગમાં અપાતા હતા જે 'જીવન મરણનાં સમ' જેવા વચન,
એ હવે કળિયુગના 'પ્રોમિસ' બનીને કયાંય ઊડી જાય છે,
એકસમયે આપેલાં વચન માટે જીવન ન્યોછાવર કરનારો માણસ,
આજના સમયમાં બીજાનું જીવન કચડતાં પણ ક્યાં અચકાય છે !
વચન મિત્રતાનાં હોય કે સપ્તપદીના, કે પછી હોય ચૂંટણી ટાણે અપાતા મંત્રીઓના,
કળિયુગમાં બધાજ વચનો હવે એક મજાક બનતા જાય છે.
#TravelDiaries
