તંદુરસ્ત
તંદુરસ્ત
આ જગતમાં જે તંદુરસ્ત છે,
એ સૌથી મોટો ધનવાન છે,
તંદુરસ્તી જેની મજબૂત છે,
એ પથરા પણ પચાવી શકે છે,
તંદુરસ્ત હોવું એ આશીર્વાદ છે,
તંદુરસ્તી સારી તો જગ જીતાય છે,
એટલે જ એક જૂની કહેવત છે,
પહેલું સુખ તે જાતે નર્યા કહેવાય છે,
ભાવના તંદુરસ્ત તન-મન જરૂરી છે,
એટલાં જ તંદુરસ્ત વિચારો જરૂરી છે.