પ્રજ્ઞાચક્ષુ
પ્રજ્ઞાચક્ષુ
1 min
212
લોચન ન હોય તેને લોકો કહે છે પ્રજ્ઞાચક્ષુ,
પણ અંતરમનનાં ખુલ્લાં હોય છે તેમનાં ચક્ષુ,
વિવેકબુદ્ધિમાં આગળ હોય છે પ્રજ્ઞાચક્ષુ,
દેખતાને પણ આંજે તેવાં હોય છે પ્રજ્ઞાચક્ષુ,
ચક્ષુ વગર પણ હોય છે તેમનો અંદાજ સાચો,
દેખતાં ભલે નથી પણ જગ્યાની ઓળખ પાકી,
એક ઇન્દ્રિયને છોડતા બીજી ઇન્દ્રિયો છે તેજ,
યાદશક્તિ પણ સામાન્ય કરતાં હોય છે તેજ,
દેખતાંને પણ અચંબિત કરતાં હોય પ્રજ્ઞાચક્ષુ,
દેખતાં કરતાં પણ કંઈક વિશેષ હોય છે પ્રજ્ઞાચક્ષુ.