પૌરાણિક
પૌરાણિક
હિંદુ ધર્મે વેદપુરાણો અધિક,
અધિકમાસે વાંચે, સત્ચનારાયણ કથા.
શ્રાવણ આવે સરવડાં લાવે,
વંચાય ઘર ઘર શિવપુરાણ.
ગણેશજી લાવે ગણેશોત્સવ,
ભક્તિ તો ઘર ઘર છલકાય.
મૃત્યુ પછી મોક્ષ મળે જીવને,
ખાતર ગરુડપુરાણ વંચાય.
અગિયારસ ને પૂનમની કરે,
કથા સત્યનારાયણની.
રામાયણ, મહાભારત,
ગીતા, વંચાય ઘર ઘર.
નવરાત્રીમાં ચોરે ને ચોંટે,
થાય પૂજન, દૈવીશક્તિઓનું.