નરો વા કુંજરો વા
નરો વા કુંજરો વા
ધર્મક્ષેત્રમાં ધર્મરાજ મૂંઝાય,
અર્ધસત્યનો ઉચ્ચાર મુજથી કેમ થાય,
સત્ ઉપાસક બન્યા નિઃસહાય,
કૌંતેય ને સમજાવે રણછોડરાય,
આચાર્ય સામે સેના છે અસહાય,
અજમાવો હવે આ દ્રોણવધ ઉપાય,
વિસામણ છોડી સજ્જ થયા ધર્મરાજ,
મર્યો છે અશ્વત્થામા પ્રશ્ન પૂછે ગુરુરાજ,
હણાયો છે અશ્વત્થામા યુધિષ્ઠિર બોલ્યા,
અર્ધસત્ય બોલ્યા અંતે નરો વા કુંજરો વા.