મૃત્યુ પછીનું જીવન
મૃત્યુ પછીનું જીવન
મૃત્યુ પછીનું જીવન કોણે જોયું છે ?
સ્મશાનેથી પાછા વળી કોણ ફરી રોયું છે ?
સર સર સરકતી આગ સ્મશાને પછી
ધધકતી રાખ હવાએ, કોનું મન મોહ્યું છે ?
બળતું શરીર ને ઊડતી હવાએ જીજીવિષા
લાગણીની ઓથે આખરી આંસુ કોણે જોયું છે ?
કહે છે મૃત્યુ પછી સ્વર્ગ કે નર્ક મળતું પણ,
જીવંત જિંદગીએ કર્મો થકી સ્વર્ગ કોણે જોયું છે ?
હું તું કે આપણે ને આપણું આ જીવન,
જીવી લ્યો જિંદગી જીવંત સંબંધે કારણકે
મૃત્યુ પછીનું જીવન કોણે જોયું છે ?