રજવાડા
રજવાડા
રાજપૂતો ગયા, ને હવે તલવારો મ્યાન છે
રજવાડાઓમાં આજે પણ એમનું માન છે.
ગ્રંથોના પાના ઉથલાવતાં,
આજે પણ એમની કેટલીયે વાત છે.
ઠસ્સો ઠાઠ મર્તબો એ તો કેવો,
તાવ દેતા કેવા ! મૂછો તો એમની જાન છે.
રાજપૂતાણીઓ કેવી શર્મીલી ખુદમાં,
પણ સુંદરતામાં તો સુંદર ઢળતી સાંજ છે.
ઓઢીને ઉભી અટારીએ રાહ પિયુ વાટે,
મર્યાદાને મર્તબો એ તો માથે ઓઢણી કેરી લાજ છે .
મહેલે છુપા રસ્તાઓ મળ્યા જૌહર કાજે,
સમજતા હતા કે દરેક દુશ્મનના દીવાલે કાન છે.