કૃષ્ણ મને વ્હાલો લાગે
કૃષ્ણ મને વ્હાલો લાગે
કૃષ્ણ ! તું કેમ મને મારો લાગે ?
દેવ નહીં પણ નટખટ કાનો લાગે,
યમુનાનાં તીરે તું વાંસળી વગાડતો,
ગોપીઓને તું કેટલો પ્યારો લાગે !
છે તારો ૫૨૪૩મો જન્મદિવસ,
છતાં તું આજે જ પ્રગટનારો લાગે,
સમસ્યાનું સમાધાન મળે ગીતામાં,
માર્ગ ભૂલેલાને રાહ ચીંધનારો લાગે,
નિરાશામાં પરમાનંદની અનુભૂતિ તું,
એટલે જ કૃષ્ણ તું મને બહુ વ્હાલો લાગે !
