STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

કર્મ થકી જ સૌનું નસીબ ઘડાય

કર્મ થકી જ સૌનું નસીબ ઘડાય

1 min
170

મન, કર્મ ને વચનથી જેણે દુઃખિયાની કરી સહાય,

એ જ સફળ જીવન જીવ્યા ગણાય,


તું સારું કરે તો સારું થાય, તું ખરાબ કરે તો તારું ખરાબ થાય,

તારું સારું ને ખરાબ બધું ઈશ્વરના ચોપડે નોંધાય,


કર્યા કર્મનું ફળ ચોક્કસ મળશે એ હકીકત છે,

તારા જ કર્મો થકી તારું નસીબ ઘડાય,

ભલેને ઈશ્વર સ્મરણ કરો, પણ મન હશે મેલું તો સઘળું વ્યર્થ છે,

સાચા મનથી કરેલી ભક્તિ જ સાચી ગણાય,

વાવો બાવળ તો કાંટા મળશે,

જો વાવો આંબો તો જ કેરી વીણાય,


જેમ ગાય શોધી લે વાછરડાને,

એમ જ કર્મ દ્વારા કર્મકર્તા શોધાય,

સાફ દિલથી જો થાય ઈશ્વરની ભક્તિ,

તો જ માત્ર ઈશ્વરને પામી શકાય,

તારું કરેલું તારે જ ભોગવવાનું,

કર્મની ક્યાંય અદલા બદલી ન કરી શકાય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract