કહેવા ન પડે
કહેવા ન પડે
દર્દ રહી જાય છે અધૂરા જો એ સહેવા ન પડે,
વહેતુ વહી જવા દો તો કોઈ ને પારકા કહેવા ન પડે.
હાલ બેહાલ તો હોય ભાઈ જેમ રાત-દિવસ થાય,
જો બધું ચાલે સરખું તો ભગવાનને ભગવાન કહેવા ન પડે.
એક અમથું તો આયખુંને શુ કામ આટલી ચિંતા,
કરને કૈક એવું કે સમાચાર આપણા કોઈને કહેવા ન પડે.
સુખ અને દુઃખ કરે છે માત્ર અહીં કામ પોતપોતાનું,
જાતમાં પરોવ જાતને જેથી શાગિર્દ કોઈને કહેવા ન પડે.
આગળ જે કાઈ પણ થવાનું એ તો અણધાર્યું જ થવાનું,
જીવી લે ને જ મળ્યું પછી મનનાં ઓરતા કોઈને કેહવા ન પડે.
