એ શહીદોના સમર્પણની ગાથા
એ શહીદોના સમર્પણની ગાથા
ઉજવાઈ રહ્યો છે આઝાદી અમૃત મહોત્સવ જ્યારે,
ને માણી રહ્યો છે દેશ આઝાદીનો આનંદ ત્યારે,
એ શહીદોના સમર્પણની....
જેણે માતૃભૂમિ કાજે આપ્યાં પોતાનાં પ્રાણ,
દુશ્મનો સામે લડ્યાં પણ થવા ન દીધી જાણ.
એ શહીદોના સમર્પણની....
જેમણે ખુલ્લાં આકાશ ને ધરતીને બનાવ્યું ઘર,
મને અડધી રાતે જાગીને દુશ્મનોનો કર્યો સંહાર,
એ શહીદોના સમર્પણની...
જેમણે દેશની પ્રજામાં દેશભક્તિ જગાવી,
ને હસતાં મુખે લાઠી સહી દુશ્મનોની હિંમત હરાવી,
એ શહીદોના સમર્પણની....
જેમણે પોતાનાં પરિવારનો ન કર્યો વિચાર,
ને હતાં હંમેશાં બલિદાન આપવા તૈયાર,
એ શહીદોના સમર્પણની....
જેમણે અનેકવાર વેઠી જેલની યાતના,
ને દેશ માટે ન્યોછાવર થઈ મેળવી નામનાં,
એ શહીદોના સમર્પણની....