ચરણોની ચડસાચડસી
ચરણોની ચડસાચડસી
એક દિ થયો ખટરાગ પ્રભુનાં બે ચરણોમાં
એક કહે હું મહાન, બીજો કહે ના હું મહાન !
ત્યાં પધાર્યા નારાયણ નારાયણ કરતા નારદજી
મોકો મળ્યો ટીખળનો કહે પ્રભુ કરો હવે ફેંસલો,
જમણો કહે પ્રભુ મારામાં છે ચિન્હો નવ,
ડાબો કહે પ્રભુ મારામાં છે અગત્યના સાત !
કહો અમને કોણ મહાન ? પ્રભુ કહે મલકીને
મેં તો ચરણ આપ્યા ભક્તોને, કરશે એ ફેંસલો !
જમણો કહે મારામાં ધ્વજ જે આપે અભયદાન
વજ્ર છે જે દૂર કરે, પાપ અને દુ:ખનાં ડુંગર,
અંકુશ ! જે રાખે છે ચિત્તને હૃદયમાં !
અષ્ટકોણ જે આઠ ઐશ્વર્યસિદ્ધિનું પ્રતિક,
કમળ છે જળ છે જે ધાન્યનો છે રાજા !
ઉર્ધ્વ રેખા જે કરે ઉર્ધ્વ ગતિનો સંકેત,
અને કળશ જે કરે ભક્તિમય હૃદય,
પ્રભુ બોલ્યા ચરણને મેં આપ્યું તને ભક્તોને !
ડાબો કહે મારામાં ગૌખરી જેદે તીર્થનું ફળ,
જાંબુ છે જે આપે લૌકિક સંપત્તિ ને સુવર્ણ !
મત્સ્ય છે જે કરે છે મનને સ્થિર !
ધનુષ્ય છે જે બનાવે વિવેકી અને નમ્ર !
ચક્ર છે બાધાનાશક, ત્રિકોણ છે ત્રિદોષનાશક !
નારદજી વદ્યા ખબર છે મને અર્ધ ચંદ્ર પણ છે !
આકાશ પણ છે ! હવે ફરી બોલ્યા પ્રભુ મલકીને
મારું આ ચરણ પણ આપી દીધું ભક્તોને !
હવે નિહાળે નારદજી અને પ્રભુજી ભક્તોને !
કોઈ આવી હાથ લગાડે જમણા ચરણને !
કોઈ વળી ડાબાને તો કોઈ વળી બંનેને !
કોઈ ફેરવે હાથ ઉપરથી હવામાં ચરણો ઉપર,
છેલ્લે ફેરવે નિજ મસ્તક પર મરજી એવું ફળ
હવે સમજ્યા મનમાંજ ચરણો કોનું કેટલું મહત્વ !
