છઠ્ઠી ઈન્દ્રિય અને સ્ત્રી
છઠ્ઠી ઈન્દ્રિય અને સ્ત્રી
1 min
393
ઈશ્વરે સ્ત્રીને શા માટે છઠ્ઠી ઈન્દ્રિય આપી હશે?
જેથી એ ન કહેવાયેલા શબ્દો સાંભળી શકે....
જેથી એ ન વ્યક્ત કરાયેલી લાગણીને સમજી શકે...
જેથી એ આંખની પાંપણમાં છૂપાયેલા ભાવને ભાળી શકે.....
જેથી એ ચહેરા પરના મ્હોરાને ઓળખી શકે.....
જેથી એના શરીરના સ્પર્શ પાછળનો મર્મ જાણી શકે.....
જેથી એ એની નજીક આવેલાની સુગંધ પાછળની ગંધ પારખી શકે...
જેથી એ આ દુનિયામાં સલામત રહી શકે......