અજબ ચિત્ર
અજબ ચિત્ર
આંખો બંધ કરું ને ચિત્ર ધૂંધળું દેખાય
આંખો ખોલતા એ દ્રશ્ય નજર ના દેખાય,
લોક કહે છે કે મનના વિચારો છે અજીબ
જેવું વિચારીએ એવું જ આંખો સામે દેખાય,
જાદુઈ ચિત્ર ક્યાં હોય છે આ દુનિયામાં ?
બસ મનઘડંત વાતોથી ભરમાતા દેખાય,
કબીર કહે કે તુલસીદાસજી કહે દોહા દ્વારા
પણ ઉપદેશો અનુસરતા હવે કોણ દેખાય ?
દેહ કાચો પડે છતાં પણ સમજણ ના આવે
એવા અણસમજુને ઈશ્વર પણ ક્યાં દેખાય ?
મારી વાતને થોડીઘણી માનજો મારા મિત્રો
જાદુઈ ચિત્રની શોધમાં જિંદગીમાં ધૂંધળું ના દેખાય !