આઝાદીનો અમૃત મહોત્સવ
આઝાદીનો અમૃત મહોત્સવ
૭૫માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે, આઝાદીનો અમૃત મહોત્સવ એક અનેરો અભિયાન છે
આઝાદીનો અમૃત મહોત્સવ એ તો શાંતિ, દેશભક્તિ, વિવિધતા અને રાષ્ટ્રીય એકતાનું સન્માન છે,
ભાષાવાદ, પ્રાંતવાદ, પ્રદેશવાદ, જાતિવાદ, ધર્મવાદ અને દરેક વિવાદોના વધતા ઝેર સામે
આઝાદીનો અમૃત મહોત્સવ બની રહેવાનું અમૃત કુંભ જેવું વરદાન છે,
આપણી આઝાદીની લડાઈ અને શહીદોની લડત થઈ ગઈ છે ઈતિહાસમાં અમર
આઝાદીનો અમૃત મહોત્સવ તો બની રહેવાનું હિન્દુસ્તાની હૂંકારનું બહુમાન છે,
આઝાદીનો અમૃત મહોત્સવ નિમિત્તે સહુ ભારતીય ઝાંક્શે પોતાની અંદર
નૈતિકતા, બંધારણ પ્રત્યેની નિષ્ઠા, શિસ્તબધ્ધતાને વધુ ઉજાગર કરવાના અરમાન છે,
સ્વતંત્ર દિવસ જેવો કોઈ ઉત્સવ નથી, આ તો છે આઝાદીનો અમૃત મહોત્સવ
‘યે જિંદગી હૈ કૌમ કી, તું કૌમ પે લુંટાયે જા’ ની ભાવના થકી થવાનું આ રાષ્ટ્રનું ઉત્થાન છે.