પાણિગ્રહણ
પાણિગ્રહણ
પાણિગ્રહણ,
પાણિગ્રહણ એટલે એકમેકને સમજવું,
એકમેક માટે સમર્પિત થવું અને
એકબીજામાં સમાઈ જવું અને બે આત્માનું મિલન બેપરિવારોનું એકથવું .
પાણિગ્રહણ કર્યું એટલે જન્મભર,
સાથે રહેવાનું ,એકબીજાને સાચવવાનાં,
સંભાળવાનાં અને સહન કરવાનાં !
સુખદુ:ખ સહેવાનાં મોજમસ્તી કરવાનાં!
પાણિગ્રહણ કરે કોઈ માંડવામાં,
કોઈ કરે કોર્ટકચેરી કે હોટેલમાં,
કોઈ કરે આકાશમાં કે જળમાં કે ઘરમાં.
પણ પ્રસંગ તો આનંદ ઉત્સવનો જ!
પાણિગ્રહણ ભગવાન શિવજીએ કર્યું,
શ્રીરામજી ને શ્રીકૃષ્ણજીએ પણ કર્યું, મહાવીર, ગાંધી અને મોદીજીએ કર્યું!
સામાન્ય માનવીએ પણ કરવું જ રહ્યું !
મનથી મન મળે દીલથી દીલ મળે,
હાથ થી હાથ મળે ને હ્દયનાં તાર ઝણઝણી ઉઠે! પાણિગ્રહણ કરે,
તે પસ્તાય, ના કરે તે વધુ પસ્તાય !