સમજણની સેજમાં સમાણી જિંદગી
સમજણની સેજમાં સમાણી જિંદગી
'સમજણની સેજમાં સમાણી જિંદગી'
દીપશિખાના લગ્નને ૧૦ વર્ષ થઇ ગયા હતા. પરિવાર સુખી, બાળકો મઝેદાર જીવે અને ઘરમાં શાંતિ એટલે એકવાર કીટી-પાર્ટીમાં ભેગા થયા. બધા જ પોતાની વાતોએ વળગ્યા. બધા પોતાના પરિવારની ચિંતામાં, બાળકોની ભણતરની ચિંતામાં કે પછી સાસુ-સસરાની ચિંતામાં એટલે બધું જ ફ્રસ્ટ્રેશન આજે નીકળતું હતું. એક દીપશિખા જ બધાની વાતો સાંભળી રહી હતી અને બસ સ્માઈલ સાથે ટૂંકાણમાં જવાબ આપી રહી હતી. બધા તો વાતોમાં હતા પરંતુ ચાંદનીનું ધ્યાન પડ્યું કે દીપશિખા કેમ કઈ બોલી નથી રહી, શું એની જિંદગીમાં સુખ જ સુખ છે! બધા સાથે હસી-હસીને વાતો કરે છે, એના ચહેરા પર પણ કોઈ દુઃખ કે ચિંતાની રેખા નથી. શું એને જિંદગીથી કોઈ ફરિયાદ જ નથી?? એટલા બધા સવાલોના જવાબ ચાંદનીનું મન આપી શકે એ શક્ય નથી એટલે એને બધાની સામે જ પૂછી લીધું કે,
'દીપી, શું છે ને કઈ! તારા ચહેરા પરથી તો સ્માઈલ અને સૂકુન હટતું જ નથી ને! દૈવત સાથે લગ્નને ૧૦ વર્ષ થઇ ગયા છતાં કોઈ પણ જાતની ફરિયાદ નથી તને? બહુ કહેવાય કઈ! અને એવું તો નથી કે તું અમને કઈ કહેવા જ નથી માંગતી? હાહાહા....', ચાંદની ટોન્ટમા પણ હસતા-હસતા બોલી. ચાંદની સાથે બધાએ હાજી પુરાવી, બધાને જાણવાની ઉત્સુખતા થઇ. ( દીપશિખા હસી પડી.)
'અરે ચાંદ, ચાલ આજે તને કહી જ દઉં હું મારી આ હસીનો રાઝ.... (અને ચાંદનીએ બધાની નજરમાં આવે એમ બધાને સંબોધીને કહેવા માંડ્યું.)
'સી ફ્રેન્ડ્સ, મારા ચહેરા પર સ્માઈલ છે કારણકે હું એ સ્માઈલને હર-હંમેશ મારા શ્રીંગાર સાથે પહેરી જ રાખું છું. આજે માંડીને વાત કરું. આપણે બધા મિત્રો છીએ અને ઘણા સમયાંતરે મળ્યા છીએ અને આજે ચાંદનીએ વાત કાઢી જ છે તો તમને મારી જડીબુટી પીવડાઈ જ દઉં. ચાલો, સાંભળો મિત્રો,
જિંદગી જીવવા માટે શું જોઈએ???????
રોટી, કપડાં અને મકાન.... પ્રાથમિક જરૂરિયાત કહી શકાય. બરાબર ને?
હવે,
જિંદગી શાંતિથી જીવવા શું જોઈએ?????????????????
સમજણ, સહન-શક્તિ અને સંતોષ............ આ એકદમ પરફેક્ટ લાગે છે ને હવે?
દરેક પામરજીવ જન્મ લે ત્યાંથી લઈને અંત સુધી બસ એક જ વસ્તુ માટે ભટકે છે જે છે 'શાંતિ'. સાહેબ, આજે હું એ વાતને સાબિત કરી દઈશ આપ સહુની સામે કે
'શાંતિ શોધે ના મળે, એને પામવી પડે'......... શોધ કોની થાય દોસ્ત? જે ખોવાયું હોય એની. જે ખોવાયું જ નથી એની વળી શોધ કેવી?? શાંતિને પામવા શું જોઈએ?? _'સમજણ'......
સમજણ ક્યાં થી આવે?______ 'સહન-શક્તિ અને સંતોષ'. આ બંનેનું મિશ્રણ એટલે 'સમજણ' અને સમજણ આવી જાય એટલે શાંતિ તો આવવાની જ છે. લો, કેટલું સહેલું છે.. હા, ચાંદની, તને એવું લાગે છે કે આ પ્રવચન ચાલુ થઇ ગયું અને હવે પતે તો સારું. એવું નથી દોસ્ત. મેં અહીંયા જે કઈ પણ કહ્યું એ બધું જ બહુ સનાતન સત્ય છે અને એ વાતને હું સાબિત કરીને બતાવી શકું છું પછી તમે જ કહેજો કે મેં કહ્યું એ સાચું કે ખોટું?
તકલીફ કોને નથી??
ગરીબને પૈસો જોઈએ,
અમીરોને આરામ જોઈએ,
સાચા હોય એને સલામતી જોઈએ,
ખોટાને પોતાનો સિક્કો સાચો જોઈએ,
છોકરાને સારી જાયદાદ જોઈએ,
છોકરીને વર રાજકુમાર જોઈએ,
દરેકેદરેક માણસ જે આ દુનિયામાં આવે છે એને કોઈને કોઈ વાતે તો તકલીફ રહેવાની જ છે. એનું સૌથી મોટું કારણ છે કે માણસ સંતોષી નથી અને સંતોષી માણસ બનવું એ પણ બહુ અઘરું છે. સમજણનો અભાવ છે, સહન-શક્તિની ખામી છે.
તમે બધા એમ કહો કે મારે કોઈ દુઃખ નથી, મારે જીવનમાં શાંતિ જ છે, મારે ચહેરા પર હર-હંમેશ સ્માઈલ જ રહે છે તો હા, તમે બધા બહુ જ સાચા છો, હું ખુશ છું, દિલથી, અંતરમનથી, મારા પરિવારથી, મારા બાળકોથી, મારા પતિદેવથી અને મારી કિસ્મતથી.... મને કોઈ સાથે કોઈ ફરિયાદ જ નથી.
પહેલા હું પણ તમારી જેમ એકલી મૂંઝાતી હતી, થોડો સમય બસ એમાં જ રહી, પુસ્તકોનું આચમન કર્યું, સાચા અને સારા વક્તાઓનું થોડું સાંભળ્યું અને જીવનમાં ઉતારવા જેટલું ઉતાર્યું. તકલીફોથી પર કેમ રહેવું? તકલીફોને આપણા પર હાવી ના થવા દેવી. આપણા આત્મ-વિશ્વાસને ડગવા ના દેવો. કોઈની કીધેલી વાત આપણા મનને પરેશાન ના કરે. કોઈના બોલેલા અપ-શબ્દો તમને લાંમ્બો સમય રડાવી ના શકે. કોઈ કરેલું તમારું અપમાન તમને બદલો લેવા પર મજબુર ના કરે. તમે ગુસ્સે થઈને સામેવાળા વ્યક્તિ સાથે મનમાં કાટ ના રાખો. તમારા જીવનમાં આવેલી દરેક તકલીફ તમને એક નવી પ્રેરણા આપીને જાય, તકલીફોના જાળા સાફ કરતા કરતા તમે મનમાં રહેલા બધા જ જાળા સાફ કરી દો અને બીજું ઘણું બધું મને શીખવા મળ્યું છે તો ફક્ત ને ફક્ત વાંચનથી અને સારા વ્યક્તિ સાથેના સાથથી.
તમને બધાને ફરિયાદ છે, ગુસ્સો છે, અસંતોષ છે, અંતરમનના સવાલોના જવાબ નથી મળતાં એટલે મનનાં કોઈક ખૂણે કયાંક ખાલીપો છે અને એ જ અશાંતિનું કારણ છે. બસ એને જ સાંભળવાનું છે. તમારા બધાની ચિંતા આવી હોઈ શકે.. દા.ત.
સાસરિમાં કોઈ કઈ કહી જાય એની ચિંતા?
સાસુ સીધા મોઢે વાત નથી કરતા એની??????
પૈસાની તકલીફ થઇ?
જીવનમાં અણધારી આફત આવી ગઈ?????
બાળકોની ચિંતા??
પતિની ચિંતા?? પતિ ઘરે કે તમને સમય નથી આપતા એની ચિંતા અને સવાલો?
લોકો જેટલો પૈસો ક્યારે આવશે એની ચિંતા???????
લોકો સાથેની સરખામણી કરવામાં હજી આપણે પાછા રહી ગયા છે એવા વિચારો અને અસંતોષ.
લોકો કેટલા સરસ લાગે છે, ભગવાનને કોસવામાં તો આપણે કશું બાકી રાખતા જ નથી.
કેટલીય વાર આમ ઉપર જોઈને કહી દીધું હશે કે,
'સાહેબ, જરા દયા કર હવે, બહુ થયું છે. હું એકલી જ નથી દુનિયામાં. તને તકલીફ આપવા ને દુઃખી કરવા માટે હું જ મળું છું?????'
એટલા બધા સવાલો તમારા બધાના મગજમાં ઘર કરી ગયા છે અને એના જવાબો આપણે બધાએ ભેગા થઈને શોધવાના છે. દરેક સવાલોના જવાબનું એક આખું પુસ્તક 'શ્રીમદ ભાગવત ગીતા' છે જેમાં કળિયુગમાં આવનાર દરેક સવાલોના જવાબ છે જે ભગવાન કૃષ્ણએ ખુદ પોતાના મુખેથી આપ્યા છે.
મેં શરૂઆતમાં તો તમારી જેમ ફરિયાદ જ કરી છે. મગજમાં વિચારોનું ઘોડાપુર દોડ્યું. નાસીપાસ થઇ ગઈ. પછી એકાંતમાં મન શાંત કરી બેઠી ત્યારે વિચાર આવ્યો કે દરેક તકલીફનું એક જ નિરાકરણ છે 'સંતોષ'
'રાહ ચીંધનાર રહી બની પુસ્તક આવ્યું,
એના પન્ને-પન્ને મેં મારા જવાબ શોધ્યા,
સીધા નહિ તો આડકતરી રીતે એને મને સંતોષી જવાબ આપ્યા.'
દુનિયાનું દરેક પુસ્તક કાંઈક ને કાંઈક સંદેશ સાથે જ આવે છે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. પુસ્તક જ એક એવી રાહ છે જે ભટકેલા માનવીને સાચી રાહ બતાવી શકે, નિરાશ માણસના મનમાં આશાનું એક નાનું અમથું પણ કિરણ પ્રકાશિત કરી શકે. કહેવાય છે કે,
'માનવીનો સાચો દોસ્ત હોય તો એ પુસ્તક છે.'
પુસ્તક વાંચતી ગઈ, સમયને સમજતી ગઈ,
અનુભવને કામે લગાડતી ગઈ, નકામું નેવે મુક્તિ ગઈ,
નાહકના વિચારોને અવગણતી ગઈ,
બે કાનનો સરખો ઉપયોગ કરતી રહી,
સાચું સાંભળતી ગઈ,નકામું ન્યોછાવર કરતી રહી
અને બસ હસતી રહી............
એકદમ દિલથી, કોઈની પરવાહ કર્યા વગર, મારા જ વિચારમાં વિહાર કરતી રહી. બસ, મળી ગઈ મને શાંતિ પછી દેખાય જ ને મારા ચહેરા પર ખુશીઓની લહેર!(દિપશીખા નૈન નાચવાતી બોલી)
'બહુ વધારે જ્ઞાનવાણી ના થઇ ગઈ આ કીટીપાર્ટીમાં??', દીપશિખા બધાની સામે હસીને બોલી.
'અરે દોસ્ત, તારી વાતમાં દમ તો છે! રોજ કંટાળીને ફરિયાદ કરવી એના કરતા એનો સંપૂર્ણ સ્વીકાર કરી લેવો વધારે સારો. હવે વધારે નહિ તો કાંઈ નહિ પરંતુ થોડું પણ ઉતારી લઈએ તો કાંઈ ખોટું નથી. પછી છેલ્લે કાંઈ ના થાય તો આપણે તો છીએ જ. કીટીમાં મળતાં રહીશુ અને બસ આમ જ દિપશીખાની જેમ હસતા રહીશુ.', સંજના થોડી હસીમજાક કરતા બોલી.
બધા હસી પડ્યા અને ફરી પોતાની મસ્તીમાં ચાલી નીકળ્યા.
પરંતુ આ કીટીપાર્ટીમાં થયેલી વાતનું મનોમંથન તૃષા ઘરે ગયા પછી પણ કરતી રહી. થોડો સમય તો કાંઈ સૂઝ ના પડી પરંતુ થોડા સમય પછી ધીમે-ધીમે એણે પોતાની લાઈફમાં એનું પાલન કરવા માંડ્યું અને બધું જ થોડા સમયમાં સરખું થઇ રહ્યું હોય એવો ભાસ થવા લાગ્યો. એ ખુશ રહેવા લાગી, એના મનની આંખોથી દુનિયાને જોવા લાગી અને બીજી વખત કીટીપાર્ટીમાં પોતે લખેલી કવિતાનું મંથન પણ કર્યું અને દિપશીખાનો આભાર માન્યો.
તૃષાએ લખ્યું કે,
'મૂરઝાયેલા મનને મનાવ્યું,
વીતેલી ક્ષણોને સરખી સજાવી,
હોઠોની પંખુડી પ્રસરાવી,
જિંદગીને પ્રેમથી વધાવી.'
***