કિશન ક્યાં ગયો? (ભાગ : ૧૬)
કિશન ક્યાં ગયો? (ભાગ : ૧૬)




છેવટે થાકી તેઓ સરપંચના ઘરે પહોચ્યા. સરપંચના ઘરે થાળીઓ પહેલેથીજ લાગી ગયેલી એમના ચાર-પાંચ નોકરો જમવાનું પીરસવા લાગ્યા. શ્રીખંડ, પૂરી અને ગરમા-ગરમ ગોટા ખાઈ બંને સંતુષ્ટ થઇ ગયા. ઈ.મિહિરે ખાતા ખાતા સરપંચને પૂછ્યું "તમને શું લાગે છે? આ કિસનનું કોઈએ અપહરણ કર્યું હોય તો?
સરપંચે હસીને કહ્યું "સાહેબ.. સાચું કહું તો આ ગામના લોકોનો કોઈ ભરોસો નહિ.. ૧૦ રૂપિયા માટે કોઈનું માથું ફોડી દે એવા આ ગામના લોકો છે. પેલા ચાર જણાઓ પર જ મને તો શંકા જાય છે. એમણેજ કિસન જોડે કાઈક કર્યું હશે...
(ક્રમશ:)