Prashant Subhashchandra Salunke

Abstract

4.0  

Prashant Subhashchandra Salunke

Abstract

નવરંગ - ૮

નવરંગ - ૮

3 mins
132


આપણે જાણીએ છીએ કે આંતરિયાળ વિસ્તારમાં આવેલા લીલાછમ કુદરતી આવાસ ધરાવતા એક રમણીય ગામમાં મીરા નામની યુવતી રહેતી હતી. દેવી દુર્ગા પ્રત્યેની અતૂટ ભક્તિ માટે મીરા ખૂબ જાણીતી હતી. દર વર્ષે નવરાત્રિનો તહેવાર નજીક આવતા મીરા ખૂબ ઉમંગ અને ઉત્સાહ સાથે નવરાત્રીની તૈયારીઓ કરતી.

નવરાત્રિમાં દરેક રંગનું એક અનોખું વિશિષ્ટ છે. મીરાએ સતત અઠવાડિયા સુધી જુદા જુદા રંગોથી દેવીની ભક્તિ કરી હતી. હવે નવરાત્રિના આઠમા દિવસે તેણે મોરપીછ લીલા રંગથી ઉજવણી કરવાનું નક્કી કર્યું. કારણ કે આ રંગ ઈચ્છાઓ અને આશાઓને પૂર્ણ કરવાનું પ્રતિક છે. મીરા માનતી હતી કે દેવીની સાચા અર્થમાં આરાધના કરવા માટે, દરેક ખેલૈયાઓએ પ્રત્યેક દિવસના રંગનો સાર મૂર્તિમંત કરવો જોઈએ. મીરાએ સાતમા દિવસે મોરપીછ રંગથી નવરાત્રિને ઉજવવાનું નક્કી કર્યું. આ કલ્પના માત્રથી તેનું મન મોર બનીને થનગનાટ કરવા લાગ્યું.

નવરાત્રિના આઠમા દિવસે મીરાએ કલાત્મક ડિઝાઇનવાળી મોરપીછ લીલા રંગની સાડી પહેરી અને પોતાની જાતને સુંદર મજાનાં મોરપીછથી શણગારી. મીરાંની સાડી પર પણ સુંદર મજાનાં મોરપીછની છાપ ઊપસેલી હતી. હવે મીરાએ મોરપીછ ભરેલી એક ટોપલી લઈને દેવીના મંદિરે પહોંચી. તે મંદિરની નજીક પહોંચી ત્યાં તો મંદિરની આસપાસનું પરિસર સુંદર મજાનાં મોરથી ભરાઈ ગયું.

મીરાએ દેવી સામે મોરપીછ આકારનો દીવડો પ્રાગટાવ્યો અને દેવીની મૂર્તિના ચરણોમાં મોરપીછની સાથે લીલા રંગના ફૂલો અર્પિત કર્યા. તેણે દેવીને મોરપીછ રંગની પિસ્તાની બરફીનો પ્રસાદ પણ ધરાવ્યો. હવે તેણે પૂર્ણ ભક્તિથી આંખો બંધ કરી અને દેવીની પ્રાર્થના કરવા લાગી. મીરા આજે તેના હૃદયને ઈચ્છાઓ અને આશાઓથી ભરી દેવા માંગતી હતી.

જેમ જેમ સૂર્ય આથમતો ગયો તેમ તેમ મીરાને સુખદ લાગણીની અનુભૂતિ થઈ રહી. જાણે મોરપીછ લીલો રંગ તેના હૃદયને આલિંગન આપી તેને શાતા પહોંચાડી રહ્યું હતું. આ શાંત અને સુખદ અનુભૂતિ થતાં મીરા તેના અંતરમન સાથે એકચિત થવા લાગી. મોરપીછ રંગની શુદ્ધતાએ તેના મનને નવી આશાઓ અને ઈચ્છાઓથી ભરી દીધું.

નવરાત્રી દરમ્યાન મીરાએ નવરાત્રિના રંગોને અપનાવવાનું ચાલુ રાખ્યું. સફેદથી લઈને મોરપીછ રંગ સુધીના તમામ રંગોનું તેણે સંકલ્પ લીધું. આજે આઠ દિવસોમાં એક નવી આંતરદ્રષ્ટિ અને અનુભવો થઈ રહ્યા.

નવરાત્રિ પૂર્ણતાને નજીક હતી ત્યારે મીરાએ માત્ર દેવીની જ ઉજવણી કરી ન હતી, પરંતુ તેના પોતાના આત્મા સાથે પણ ઊંડો સંબંધ જોવા મળ્યો હતો. રંગોને લીધે તે અનોખી લાગણીઓ વડે બંધાઈ ગઈ. મીરા નવરાત્રીના આ નવા અનુભવ વડે શીખી કે ખરેખર દૈવીનું સન્માન કરવા માટે વ્યક્તિએ પહેલા પોતાની અંદર શાંતિ અને શુદ્ધતા શોધવી જોઈએ.

મીરાની વાર્તા ગામ માટે એક પ્રેરણા બની. તેના લીધે ગામલોકોને ભાન થયું કે નવરાત્રી એ માત્ર ગરબા ગાવાનો નહીં પરંતુ દેવી સાથેના રંગોમાં રંગાઈને આધ્યાત્મિક પ્રવાસ કરવાનો છે. આ એક એવો તહેવાર છે કે જેને સાચા દિલથી ઉજવીશું તે તે આપણાં જીવન પથને બદલી શકે છે.

ધીમે ધીમે ગામના લોકો પણ તેની આ અનન્ય ભક્તિ સાથે જોડાઈ ગયા અને મીરા સાથે નવરાત્રિના આઠેઆઠ દિવસ અનેરા ઉત્સાહથી ઉજવ્યા હતા. મોરપીછ લીલા રંગના પોશાક પહેરેલા સ્ત્રી અને પુરુષોને ગરબા કરતાં જોવા માટે દૂરદૂરથી લોકો આવ્યા હતા. ગામમાં જાગૃત થયેલી આ ઈચ્છા અને આશાઓનો સઘળો જશ મીરાને આપતા ગામના સરપંચ કહે છે કે, “મીરાએ અમને નવરાત્રીને એક નવા દ્રષ્ટિકોણથી જોવાની દૃષ્ટિ આપી. ખરેખર અમે તો આજદિન સુધી જાણતા જ નહોતા કે નવરાત્રીની નવ રાત્રીમાં છૂપાયેલા છે જીવનને ખુશીઓથી તરબતોળ કરી દેતા જીવનના નવરંગ."


Rate this content
Log in

Similar gujarati story from Abstract