Prashant Subhashchandra Salunke

Abstract

4  

Prashant Subhashchandra Salunke

Abstract

નવરંગ - 3

નવરંગ - 3

2 mins
355


બે દિવસની નવરાત્રીની ઉજવણી બાદ મીરાના ઉમંગ અને ઉસ્તાહમાં ઘણો વધારો થઈ ગયો હતો. હવે તે ત્રીજા દિવસની ઉજવણી પણ ઘણા ધામધૂમથી કરવા માંગતી હતી.

ત્રીજા દિવસની ઉજવણી માટે મીરાએ આસમાની ભૂરા રંગની પસંદગી કરી. કારણ આ રંગ ઊર્જાનું પ્રતિક છે. મનુષ્યની અંદર છુપાયેલી આંતરિક શક્તિઓને શોધવા માટે આ રંગ ઉપયોગી નીવડે છે.

મીરાએ ત્રીજા દિવસે આસમાની ભૂરા રંગની સાડી પહેરી કે જેના પર લાગેલી ચાંદીની જરસોદી તારાઓની જેમ ટમટમી રહી હતી.

મીરાએ આસમાની ભૂરા રંગના જાસૂદની ટોપલી લઈને ગામના મંદિર તરફ પ્રયાણ કરી રહી. મંદિરમાં જઈને તેણે ભૂરા રંગના દીવડા પ્રગટાવ્યા અને દેવીના ચરણોમાં જાસૂદની ટોકરી મૂકી. હવે તેણે આંખો બંધ કરી દેવીની પ્રાર્થના કરતાં તેણે આસપાસ વહેતી અમર્યાદિત ઊર્જાનો સંચાર ખુદના શરીરમાં થતો મહેસુસ કરી રહી. મીરાએ આ અસીમ ઊર્જાનો ઉપયોગ કરીને જીવનમાં આવતા પડકારોનો સામનો કરવાનો નિશ્ચય કર્યો. તેણે તેના પરિવાર અને તેના સમુદાયને પરેશાન કરતાં અવરોધોને દૂર કરવાની શપથ પણ લીધી. તેણે દુનિયામાં આ સકારાત્મક ઊર્જાનો ફેલાવો થાય તે માટે દેવીને વિનંતી કરી.

જેમ જેમ મીરાએ દેવીની પૂજા કરવાનું ચાલુ રાખ્યું તેમ તેમ તેણે પોતાની અંદર અદમ્ય ઊર્જાનો ઉછાળો અનુભવ્યો. જાણે તે ઊર્જાનું પાત્ર બની ગઈ હોય તેમ મનોમન અનુભવવા લાગી. ખરેખર આ અનુભૂતિ તેના માટે અદભૂત હતી.

નવરાત્રિના અંત સુધીમાં, મીરાએ માત્ર દેવીની જ ઉજવણી કરી ન હતી પરંતુ પોતાની અંદર એક નવી શક્તિ પણ શોધી કાઢી હતી. રંગોએ તેને ભક્તિની બહુમુખી પ્રકૃતિ અને જીવનની પ્રતિકૂળતાઓને દૂર કરવા માટે જુસ્સાને શુદ્ધતા સાથે જોડવાની આવશ્યકતા પ્રગટ કરી હતી.

તેની ભક્તિ તેના શક્તિ અને નિશ્ચયનું પ્રતીક બની ગઈ. તેની ભક્તિ આપણાં સહુને યાદ અપાવે છે કે નવરાત્રિ માત્ર રંગોનો તહેવાર નથી પરંતુ હૃદય અને આત્મા માટે પરિવર્તનશીલ પ્રવાસ છે. મીરાના રંગમાં રંગાઈને ગામે પણ ત્રીજા દિવસની નવરાત્રીની ઉજવણી આસમાની ભૂરા રંગમાં સજ્જ થઈને કરી.

ખરેખર, મીરાએ લીધેલા સંકલ્પથી તે આગળ જતાં અનિષ્ટ પર વિજય મેળવવાની હતી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract