માં નર્મદાનો મહિમા
માં નર્મદાનો મહિમા
શિક્ષણના કેટલાક પ્રયોગોના અનુભવો
"મા નર્મદા ની આરતી"
ભારત પરંપરાનો દેશ છે. લાગણી અને માંગણીને સ્થાન છે. અહીંના લોકો નદીને પણ માતા માને છે. પાણીની પણ પૂજા કરે છે. ત્યારે અમારી શાળાએ માઁ નર્મદા માતાની આરતી ઉતારવાનું નક્કી કરવામાં આવ્યું. અને છેવટે 108 દીવડાની નર્મદાની આરતી ઉતારવાનું નક્કી થયું. પરંતુ નર્મદા કિનારે ના જતો જ્યાં કેનાલ પસાર થાય ત્યાં જવાનું ગોઠવાયુ. ત્યાર પછી નજીકમાં આવેલ કેનાલ પાસે ગયા અને પછી તો આજુબાજુની શાળાના ૫૦૦ થી વધુ બાળકો અમારી સાથે જોડાયા અને તેમાં કપડવંજ તાલુકાના પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, તમામ અધિકારી, પ્રમુખો, સાથે મળી 108 દીવડાની આરતી ઉતારી આજુબાજુની શાળાના શિક્ષકોએ પણ ખૂબ સહકાર આપ્યો હતો. ત્યાર પછી બાળકોને નદીનું મહત્વ સમજાવ્યું અને જીવનમાં પાણીની બચતનો અમૂલ્ય સંદેશો આપ્યો તે દિવસ કયારેય ભૂલી શકાય તેમ નથી. બાળકો માટે ખૂબ અસરકારક રહ્યો.
સમાજ અને મીડિયા અને ટીવી 9પણ નોંધ લીધી હતી.