બચાવો - 5
બચાવો - 5
લગભગ બપોરના બે વાગે, પોસ્ટ મોર્ટમ પતતા, બોડીનો હવાલો મળ્યો, અને રીંકલની અંતિમ ક્રિયા પતાવી, સોહનલાલ મનમાં વિચારતા હતા કે સમયનું ચક્ર ગજબનું છે, હજુ ગઈકાલે કેવી ખુશી અને ઉમંગ હતો અને આજે કેવો માતમ છાયેલો છે. તેઓ દુ:ખી થતાં હતા કે, હું રીંકલને સાચવી ના શકયો. રમીલાબેન,સોહનલાલને ઉદેશીને બોલ્યા, વેવાઈ, તમે દુખી ના થાવ, તમારો કે આકાશ કુમારનો શું વાંક? સૌ ઉપરવારાની મરજીથી ચાલતું હોય છે. તમારા આંસુથી રીંકલના આત્માને દુ:ખ પહોચશે.
હત્યાની ઘટનાની બીજી સવારે ઈજા પામનાર આકાશને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે તેની પૂછપરછ કરતા તેણે ભારપૂર્વક પોતે નિર્દોષ હોવાની રજૂઆત કરતા જણાવ્યું હતું કે મને લથડિયું આવ્યું અને નીચે પડ્યો, પછી શું થયું તે મને ખબર નથી બસ પછી જ્યાર આંખ ઊઘડી ત્યારે માથે પાટો હતો અને અંહી ડોક્ટર કાકા પાસે હતો. ક્રાઈમ બ્રાંચે રીંકલની હત્યાનો ગુનો પુરવાર કરવા મેડિકલ વિષયના નિષ્ણાત સિવિલ હોસ્પિટલના ડો. યાકુબનો અભિપ્રાય એકત્રિત કર્યા બાદ તેમને ફરિયાદ પક્ષના મહત્ત્વના સાક્ષી તરીકે અદાલતમાં હાજર કર્યા હતા. કોર્ટમાં ડો. યાકુબે તેમની જુબાનીમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, આકાશના માથામાં તથા આંખના ભાગે થયેલી ઈજાઓ સામાન્ય પ્રકારની હતી. આવી ઈજાઓ ખુદ જાતે જ કરી હોય કે પછી કોઈએ મિત્રભાવે પણ કરી હોય.
કોર્ટ સમક્ષ આ કેસની સુનાવણી દરમિયાન આકાશ તરફથી વરિષ્ઠ ધારાશાસ્ત્રી દસ્તૂરજી તથા તેમના સહાયક વકીલો લલીત દલવી તથા સ્મિતા શર્મા અને પી. એચ.પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે સરકાર તરફથી વરિષ્ઠ સરકારી વકીલ જતિન ધોળકિયા તથા સંજય સોલંકી હાજર રહ્યાં હતાં. સોહનલાલની ભાવિ પુત્ર વધુ રીંકલના આકસ્મિત મૃત્યુમાં દેખીતી રીતે આકાશ સંપૂર્ણ નિર્દોષ હોવા છતાં માત્ર સાંયોગિક સંજોગોને આધારે તેને ગુનેગાર ઠરાવતો સરકારી મશીનરીના પ્રયાસને વખોડતા વરિષ્ઠ વકીલ દસ્તૂરજી અસરકારક રજૂઆતો કરી હતી.
તેઓએ જણાવ્યુ કે રીંકલની હત્યા આકાશ શા માટે કરે ? હત્યા પાછળ તેનો મોટીફ ( ઈરાદો ) શું હતો ? તેની કોઈ જ માહિતી પોલીસને પ્રાપ્ત થઈ શકી નથી કે તેઓ રજૂ કરી શક્યા નથી. મારા અસીલ આકાશના તેની ભાવિ પત્ની અને તેના કુટુંબીજનો સાથે સુમેળભર્યા સંબંધો હતા, તો પછી, આકાશ શા માટે તેની મંગેતર રીંકલની હત્યા કરે, તે પ્રશ્નનો કોઈ જવાબ સરકારી પક્ષ આપી શક્યો નથી.
આકાશને માથામાં, આંખના ભાગે થયેલી ઈજાઓ અંગે તેની સારવાર કરનાર ડો. નીરવની જુબાની વિશ્વસનીય હોવાનું દસ્તૂરજી ભાર પૂર્વક જણાવ્યું, આકાશના માથામાં પથ્થરની ધાર અથડાવવાથી થયેલ ઘા એવો જોરદાર હતો કે તે ખોપરીના હાડકા સુધી પહોંચી ગયો હતો. જો તેના પાડવામાં થોડો વધારે ફોર્સ હોત તો આકાશની ખોપરીનું હાડકું પણ તૂટી શક્યું હોત, તેમ જ તેના માથાના અને આંખના ભાગ થયેલી ઈજાથી નીકળેલા લોહીના રેલા અંગે ન્યાયમૂર્તિઓએ જણાવ્યું હતું કે, માનવ શરીરનું અત્યંત નાજુક અંગ આંખ છે અને તેને આંખના રતન તરીકે ઓળખાય છે. કોઈ પણ વ્યક્તિ પોતાના હાથે જ આંખ પર આવો પ્રહાર કરી શકે નહિ. એટલું જ નહીં કોઈ મિત્રને પણ આવી જગ્યાએ ફટકો મારવા આમંત્રિત કરી શકે નહીં, આ ઉયપરાંત ત્રીજી – ત્રાહિત વ્યક્તિની ઘટના કાળે,હાજરી પુરવાર થતી નથી.
વધુમાં દસ્તૂરજીએ નોધાવ્યું કે હતું કે, રીંકલની હત્યા આકાશે કરી હોય તેવી સરકારી પક્ષની દલીલને ટેકો આપે તેવા કોઈ પુરાવા રજૂ કર્યા નથી. માનનીય ડો.યાકુબે આકાશ કે રીંકલને થયેલી ઈજાઓ ક્યારેય જાતે નિહાળી ન હતી. તેઓનું તારણ- ર્પોર્ટ એ તેમની કેવળ માન્યતા છે …… કોર્ટ તરફથી પોલીસ તંત્રને પુરાવા રજૂ કરવા વધારાનો સમય ગ્રાન્ટ કરતાં, તાલુકા પોલીસે તપાસના ભાગ રૂપે, આકાશ, સોહનલાલ, ફાર્મ હાઉસના દરવાન લખુંની સંગીન પૂછતાત કરી હતી તેમજ મરનારના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પણ કોઈ નોધપાત્ર વધારે સગડ સાંપડતા નહતા.
શહેરના નામી વકીલ દસ્તૂરજીના ખુલાસા, તેમજ ફોરેન્સીક ઓફીસર તથા આ ખુન કેસની તપાસ કરનાર અધીકારી શેખરસાહેબને કોર્ટે ઝીણવટથી ફરીથી તપાસેલ. બચાવ પક્ષની ફરીથી ઊલટ તપસ મજૂર કરેલી હોય સરકારી વકીલે માથાફોડી કરેલ. અંતમાં દસ્તૂરજી દ્વારા દલીલ કરવામાં આવેલી કે આ બનાવને પુરવાથી સાંકળી શકાય તેવો કોઈ પણ પુરાવો મેળવવામાં કે રજૂ કરવામાં સરકારીપક્ષ તદન નિષ્ફળ નીવડેલ છે. કોઈને પણ માત્ર શંકાના આધારે સજા આપી ના શકાય. માત્ર ધારણાઓ કદી પુરવાનું સ્થાન ન લઈ શકે. સરકારી પક્ષે શંકાની સાબિતીમાં પુરાવા આપી કેસ સાબિત કરવો જોઈએ, પણ તેમ કરવામાં તે તદન નિષ્ફળ નીવડેલ છે. રોજ બરોજની જૂની પીતી દલીલોથી નામદારશ્રી નો તેમજ કોર્ટનો અમૂલ્ય સમય બરબાદ કરે છે, તે અનિચ્છનિય છે.
મેટ્રોપોલીસ મેજિસ્ટ્રેટની કોર્ટે દસતુરજીની દલીલને માન્ય રાખી, નોધ્યું કે સરકારી પક્ષે માત્ર મેડિકલ જ્યુડિશ પ્રુડન્સ પુસ્તકનો આધાર લઈ તેમણે જુબાની તથા અભિપ્રાય આપ્યા હતા. આથી તેમનો અભિપ્રાય કે જુબાનીનો અસ્વીકાર કરવામાં અમને કોઈ ખચકાટ નથી. ન્યાયમૂર્તિઓએ આકાશની અપીલ માન્ય રાખીને તેને છોડી મૂકવાનો હુકમ કરતા ચુકાદામાં નોંધ્યું કે, આ એક સૌથી કમનસીબ વાત છે કે, પોલીસ ખાતાના બેજવાદાર કામકાજથી આકાશ દસ મહિના સુધી માનસિક આઘાત સહન કરતો હતો. વધુમાં તે ભાવિ પત્નીની હત્યા કર્યાના કલંકને પણ સહન કરતો રહી સમાજની નજરોથી હેરાન થતો રહ્યો. કોર્ટના તેને બાઈજ્જત છોડી મૂકવાના ચુકાદાથી આકાશના કપાળ પર લાગેલા આ કલંકનો ડાઘ દૂર થયો ત્યારે સોહનલાલના રીંકલને ગુમાવ્યાના ઘા ઉપર મલમરૂપ હતો.
કોઈ પણ કારણ હોય, પરંતુ પોતાના તારણ ઉપર કોર્ટની મહોર વાગ્યા પછી પણ દસ્તૂરજી હવે ઊંડે ઊંડે કોર્ટના ચુકાદાથી વિરુદ્ધ તેઓ હવે દૃઢપણે માનતા હતા, એક હાથે તાલી ના પડે, અને કોઈ “ધેર ઈસ નો પર્ફેક્ટ ક્રાઈમ” માટે રીંકલનું મૃત્યુ કુદરતી નહીં પણ પુરાણી હવેલીમાં વિચરતા ભૂત પ્રેત દ્વાર કરાયેલ અમાનવીય હત્યા છે, તે દિશામાં પણ ચકાસી જોઈએ.
મુંજાયેલા દસ્તૂરજી પોતાની ઓફિસમાં આંટા ફેરા કરતાં હતા, અને મનોમન વિચારતા હતા..ભૌતિક જગતમાં હજુ સુધી ધ્યાનમાં આવેલી વાતથી એવું તો પુરવાર નથી થતું કે રીંકલની હત્યા કોઈ પ્રેત કે ભૂતે કરી છે. હા, પણ વરસો પહેલા આવીજ રીતે રૂપકુંવરબાના કરૂણ મૃત્યુની બિના ને યાદ કરતાં એ દિશામાં તર્ક ચોક્કસ લગાવી શકાય...’
ટાંકણી પડે તો પણ ઓફિસમાં દેકારો મચી જાય એટલી હદે દસતુરજીની ઉપલામાળે આવેલી વિશાળ ઓફિસમાં શાંતિ હતી. દસ્તૂરજીએ તેઓના પિતા કાવાસજીની છબી સામે જોયું. જ્યારે દસ્તૂરજી મુજતા ત્યારે આ છબી તેમનું માર્ગદર્શન કરી, સમસ્યાનો ઉકેલ માટે પ્રેરણા આપતી.
તેઓને લાગ્યું કે તેઓના પિતાજી કઈ કહી રહ્યા હોય.