અંતઃસ્ત્રાવ
અંતઃસ્ત્રાવ
અમુક સમયના અંતરાલે અમરના વર્તનમાં આવતાં ફેરફારને તેની મનોચિકિત્સક પત્ની ડૉ. આશા છેલ્લાં છ-સાત મહિનાથી નોંધી રહી હતી. નોંધપોથીમાંની તારીખો ચકાસતાં, તેણીની નજર અને મને તારવ્યું કે, મહિનાની ચોક્ક્સ તારીખોમાં જ આ ફેરફાર આવે છે. તે મનોમન વિચારી રહી કે, તો શું પુરૂષોમાં સ્ત્રીના માસિકચક્રની જેમ જ ચોક્કસ અંતરાલે, પણ ના જોઈ શકાતાં અંતઃસ્ત્રાવોના ફેરફારો થતાં હશે.