Bhavna Bhatt

Thriller Tragedy

2  

Bhavna Bhatt

Thriller Tragedy

આત્મકથા -નાસ્તિક

આત્મકથા -નાસ્તિક

1 min
574


મને ભગવાનમા બહુ જ શ્રદ્ધા હતી. મારા જન્મ પછી મારી મમ્મી પ્રભુને પ્યારી થઈ ગઈ. મને મારા પપ્પાએ મોટી કરી. મારા પપ્પા નાનપણથી જ બેહરા મુગા હતા. મને એમણે ભણાવી ગણાવી અને પરણાવી. મારા લગ્નને સાત મહિના થયા અને હું બેજીવસોતી હતી. અને મારા પપ્પાને એટેક આવ્યો અને પ્રભુધામ જતા રહ્યા. મને એમનુ મોં પણ જોવા ના મળ્યુ. ત્યારથી ભગવાનમાંથી શ્રદ્ધા ચાલી ગઈ અને હું નાસ્તિક બની ગઈ. કારણ કે મારા પપ્પા જ મારા જીવતા જાગતા ભગવાન હતા. અને એ જ ભગવાન ના રહ્યા તો હું બીજા ભગવાન ને કેમ માની શકુ???


Rate this content
Log in

Similar gujarati story from Thriller