વ્યર્થ વલોપાત
વ્યર્થ વલોપાત
દીકરાની એકમાત્ર ઝંખનાએ
અને દિકરી તો ઘરમાં હોવી જ ન જોઈએ
એવી ઘેલછાએ લાખો, નિર્દોષ, અસહાય
અને ફૂલ સરીખી દીકરીઓને ગર્ભમાં જ
હત્યાની શૂળી તૈયારી કરાવી
શૂળીએ ચઢાવનાર પછીથી
એ નિસહાય વૃદ્ધ માતા પિતા
વૃદ્ધાશ્રમમાં મગરનાં આંસુ સારી
કહે છે કે 'સોનોગ્રાફી મશીનની શોધ ન થઈ હોત'
અથવા વાંઝણા રહ્યા હોત તો સારું
પેટે પથ્થર અવતર્યો હોત તો સારુ થાત
એવો વ્યર્થ વલોપાત લાખો
વૃદ્ધ અવસ્થામાં પસ્તાઈને કરે છે
ત્યારે ઈશ્વરના ન્યાયનાં ત્રાજવાં યાદ આવે છે !
જે હંમેશાં કર્મોના ફળનો બરાબર હિસાબ
આ જન્મમાં જીવતે જીવત ચૂકત કરી આપે છે.
