વિશ્વાસ
વિશ્વાસ
આંધળો વિશ્વાસ એ જ કહેવાય છે અંધવિશ્વાસ,
ધર્મમાં ભૂવા ભરાડી ને ભૂઈ, હોય છે અતૂટ વિશ્વાસ,
એ ઠરે જ્યારે અંધવિશ્વાસ કે ફેરવાઈ અંધશ્રદ્ધામાં,
સાંભળવા મળે આ જ શબ્દ વારંવાર રાખ્યો'તો વિશ્વાસ.
સગા સંબંધી સ્નેહી કે મિત્રો પર કરીએ આંખ બંધ કરી વિશ્વાસ,
દગો દઈ જાય, નાણાં ડૂબાડે, વચન ન પાળે, કે વાયદાને ઠેલ્યા કરે,
ત્યારે અનુભવે શીખાય, ઓળખીએ મધુ નીતરતાં માણસોની લાળ,
વિશ્વાસે વહાણ ચાલતાં, હવે એ જમાનો ગયો, રાખતા'તા વિશ્વાસ.
