સરદારનું ગીત-૬૬.
સરદારનું ગીત-૬૬.
ગાંધીની કોંગ્રેસમુક્તિ (ઈ.સ. ૧૯૪૦)
ઈંગ્લેંડ ખૂબ ઘેરાયું, માઠી હાલત થાય રે;
તોયે ભારત માટેની, નીતિ ન બદલાય રે.
ગાંધીજીએ અહિંસાને, વળગવા મથેલ રે;
આવી વાત ન કોંગ્રેસે, સમજવા કરેલ રે.
રક્ષાણ હુમલા સામે, કેવી રીતે કરાય રે;
દેશ કેમ અહિંસાથી, બચાવીને રખાય રે.
ગાંધી સંદેશ ફેલાવે, અહિંસાનો સદાય રે;
ભળવા તેમની સાથે, ઓછાં તૈયાર થાય રે.
કોંગ્રેસથી થવા છૂટા, ગાંધીજીએ કહેલ રે;
કરી ઠરાવ કોંગ્રેસે, એ સ્વીકાર કરેલ રે.
ઘણા આ બાબતે તેના, વિરોધમાં રહેલ રે;
સરદાર-નહેરૂ ને, રાજાજીને ગમેલ રે.
કોંગ્રેસી માગણીઓનો, સ્વીકાર જો કરાય રે;
દેશ બચાવવા તેની, શક્તિઓ વપરાય રે.
સરદાર વિશે ગાંધી, કરે વાત અનેક રે;
માર્ગ જુદા અમારા છે, હ્રદય અમ એક રે.
ગાંધીજીથી જુદા માર્ગે, ગયેલા સરદાર રે;
હ્રદય-મંથનોમાંથી, થવું પડયું પસાર રે.
સંજોગ હાલ એવો છે, અહિંસા ન પળાય રે;
જુલમોનો વિના હિંસા, સામનો કેમ થાય રે.
કો’એ ન બાપુની સામે, બેઈમાની કરાય રે;
છતાંયે એમની સાથે, અમથી ન ચલાય રે.
કોંગ્રેસ મારગે ખોટા, જતી જેને જણાય રે;
તેઓએ ખુદની માથે, બોજો લઈ રખાય રે.
સ્વરાજ લાવવા માટે, પંથ અલગ થાય રે;
ને ધ્યેય દેશ આખાનું, એકમેળ રખાય રે.
અંદરના બધા વાદ, શમીને શાંત થાય રે;
વિવાદો કરવા દૂર, પંથે પડી જવાય રે.
**
નેતાઓમાં થયા ભેદ, જે ઢાંકયા ન રહી શકે;
ચતુર આંખ લોકોની, પારખે એક ઝાટકે.
(ક્રમશ)