સળિયા
સળિયા
સળિયા નથી છતાંય
વિશ્વ આખુંય જેલ છે,
જેલરના ઠેકાણાં નથી
છતાં માણસ જાતે કેદ છે...
કોઈકે મને પૂછ્યું કે
ભગવાન ના પરચા કેટલા ?
મેં હસતા હસતા કહ્યું કે..
હાલ તો પરિવાર ના ખર્ચા પૂરા કરે એ ભગવાનનાં પરચા જ છે !
કોઈકે મને પૂછ્યું કે, ભગવાન ના ચમત્કાર કેટલા ?
મેં હસતા હસતા કીધું કે વા'લા
આ મરવાની સિઝનમાં
સવારે ઊઠી જઈએ એનાથી મોટો બીજો ચમત્કાર શું હોઈ શકે !?
