STORYMIRROR

Rohit Kapadia

Inspirational

3  

Rohit Kapadia

Inspirational

શાને

શાને

1 min
146


વિધાતાએ લખ્યાં જ્યારે,

નહીં સાર્યા હતાં આંસુ,

ભલા એ દુ:ખ સહેવામાં,

હવે શાને રૂદન કરવાં.


કરી મૃત્યુ પ્રથમ નક્કી,

લખી એણે જીવનગાથા,

એ નિશ્ચિતતા વિષે જીવતાં,

હવે શાને મનન કરવાં.


રડયો જ્યારે જન્મ ટાણે,

હસી લીધું આ દુનિયાએ,

ઘવાયેલ લાગણીઓનાં,

હવે શાને જતન કરવાં.


ઘણી ખાવાં છતાં ઠોકર,

કદી ના શિર ઝૂકાવ્યું,

ભીતરના ભગવાનને ભૂલી

પત્થરને શાને નમન કરવાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational