સારથી
સારથી
કૃષ્ણ હોય આપણા જીવનરથનો સારથી,
તો પછી આપણે મુંઝાવવું જોઈએ શાથી !
કર્તવ્યની કેડીએ ચાલવા ફરજ આપણી,
કરવું હંમેશા કર્મ ધર્મ - અધર્મ વિચારી.
ન રહેવું ક્યારેય મોહમાયામાં જકડાઈ,
જીવવું સદા ગીતા સમુ અમૃત અપનાવી.
તો રહેશે આત્માનું મિલન પરમાત્માથી,
કૃષ્ણ હોય આપણા જીવન રથનો સારથી.