STORYMIRROR

Jasmeen Shah

Drama

3  

Jasmeen Shah

Drama

પુસ્તકમાં

પુસ્તકમાં

1 min
12.1K

નમી લઉં નરસિંહ 'ને નર્મદને 

મથી લઉં મરીઝ'ને મકરંદને..


જીવંત થાય મુત્સદ્દી મીનળદેવી

'પાટણની પ્રભુતા'ના પાને પાને, 


ગુણિયલ કુમુદ 'સરસ્વતીચંદ્ર'માં

આદર્શ પ્રેમની ઝાંખી કરાવે, 


'સાત પગલાં આકશમાં'

વસુધા ફરતાં ફરતાં પહોંચે, 


મેળામાં ખોવાયેલી જીવી

'મળેલા જીવ' માં હૃદય ઠારે, 


સંતુ 'લીલુડી ધરતી' માં

ચોતરફ સુગંધ પસારે...


પુસ્તકો માણસના જીવનમાં 

નવી બારી ખોલી આપે !


Rate this content
Log in

Similar gujarati poem from Drama