પ્રેમ
પ્રેમ
સવાલ - પ્રેમ જગતમાં ક્યારે આવ્યો?
કોને અને કેવો આવ્યો?
જવાબ - ઈવ અને આદમને આવ્યો.
પ્રભુએ કહી હતી "ના"
પણ એ ધરાર માન્યા ના.
સફરજન ખાધું,
અડધું અડધું.
અડધું ખાધું, ને ફેંક્યું.
જોયું નહીં બચ્યું અડધું.
હવ્વાએ એ જોયું,
ઊંચકીને ખાધું.
ને, પ્રણય ત્રિકોણ રચાયું.
બસ, ત્યારથી આવ્યું,
પ્રેમમાં હમેશા કોઈ ત્રીજું.
સફરજન જ્યાં ખાધું,
ત્યાં તો મન થયું મતવાલું.
જોયું નહીં, બીજ નીચે વેરાયું.
હતા એ ત્રણેજણના અક્ષુ.
બસ, ત્યારથી થયા ચક્ષુવિહિન,
આદમ, ઈવ ને હવ્વા.
ને, આમ પ્રેમ કહેવાયો આંધળો.
ને, હજી રહ્યો
આંધળો, ને
ત્રિકોણીયો.