પાપ અને પુણ્ય જીવનમાં
પાપ અને પુણ્ય જીવનમાં
પાપ એ અંધકાર છે પુણ્યથી પ્રકાશ ફેલાવીએ
પાપ એ દુઃખ છે પુણ્યથી સુખ વરસાવીએ,
પાપ એ અજ્ઞાન છે પુણ્યથી જ્ઞાન ને વાવીએ
પાપ એ આળસ છે પુણ્યથી આગળ વધતા રહીએ,
પાપ એ શત્રુ છે પુણ્યથી મિત્રોને મળવા જઈએ
પાપ એ પારકું છે પુણ્યથી પોતાના બનાવીએ,
પાપ એ જીવનની દુર્ગંધ છે જીવનને પુણ્ય સુગંધી બનાવીએ.
