STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

ઓળખવા કેમ એ છે મૂંઝવણ

ઓળખવા કેમ એ છે મૂંઝવણ

1 min
163

હરેક પળે બદલાય છે જીવનના રંગ,

જરૂર મુજબ બદલાય છે માનવીના ઢંગ,


મિત્ર મટી શત્રુ બને, દોસ્ત મટી દુશ્મન બને,

જીવન જેનું અમૃત બનાવ્યું,

એ જ જીવનમાં ઝેર ભરે,


દરેક સમયે બદલાય છે માનવીના રંગ,

કાચિંડો બદલે રંગ, એમ માનવી બદલે ઢંગ,


સહારા ખુદ બેસહારા બનાવે,

વાડ જ ચીભડાં ગળે,

માનવી કોને જઈને કહે !

દરેક પળે બદલે છે માનવી રંગ,


માનવ મટી બને દાનવ,

શ્રવણના રૂપમાં મળે રાવણ

ઓળખવા કેમ એ છે મૂંઝવણ !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy