મૃગજળ
મૃગજળ
વણભેદાયેલો
અભિમન્યુનો
સાતમો કોઠો
એટલે મૃગજળ.
મૃગજળ
બની ગયેલ વિદ્યા
એકલવ્યે મેળવી
ને
કર્યો ભંગ
કુદરતી નિયમનો.
મૃગજળ
એટલે
કાળની થપાટોમાં
અસ્ત પામેલ
જળનું અસ્તિત્વ.
ખુલ્લી આંખનું
બનીને સ્વપ્ન
મનોભૂમિ પર છવાતું
ને આંખ બંધ થતાં
હતું – ન હતું.
મૃગજળમાં જીવવું
વિલીન થવું,
વણલખ્યો
સંસારી નિયમ.
