મારી વાત
મારી વાત
શબ્દે-શબ્દે સ્ફૂર્તિ વધે એવી જ વાણી વાપરું,
'મા સરસ્વતી'નાં આશીર્વાદ સમજી, હું સ્વીકારું,
સાચી-ખોટી વખાણ-નિંદાથી, છકી કે તૂટી ન જાઉં,
એક ધ્યેય રાખી, સદંતર હું સીધા માર્ગે ચાલતી રહું,
પુસ્તકનાં પાનાં ફેરવું, વાંચતાં-વાંચતાં સ્મિત કરું,
વિચારોની ગતિ ઊંડી ઉતરે ને હું એમાં ભ્રમણ કરતી થાઉં.