વિચારની સત્યતા
વિચારની સત્યતા
રંગબેરંગી પતંગિયાને નિહાળી નાના-મોટા સહુ આનંદમાં આવે,
જીવનમાં આવતાં અવનવાં અતરંગી રંગોને કેમ કોઈ ન અપનાવે ?
કૃષ્ણ ઇન્દ્રનો અહંકાર ઉતારવા ગોવર્ધનને પૂજી બદલાવ લાવે,
આ સમાજ રૂઢિચુસ્તતાના બંધનમાં આવનારી પેઢીને કેમ ફસાવે ?
સારી ને સાચી પરંપરા હોય એ સદંતર પ્રેમે જ ચાલી આવે,
નાહકનો સ્વાર્થ સંતોષવા વ્યક્તિ એકબીજા પર હુકમ કેમ ચલાવે ?