ચિતા સળગતી રાખે
ચિતા સળગતી રાખે


એક ચિતા દિલમાં સતત સળગતી રાખે,
હાથે કરીને આ જીવ બદીઓનો સ્વાદ ચાખે,
અહંકાર તો સતત માથે ભમતો રાખે,
બોલેલાં કટુવચનો વ્યર્થ મનમાં ભરી રાખે,
ભગવાને આપ્યું છે આ જીવન માણવા માટે,
અને તુચ્છ વગર કામનો ઉચાટ માથે રાખે,
કામધંધા એકેએક ઉંધા કરે
અને આશાઓ મોટી સ્વર્ગની રાખે,
ખોટું કરવામાં ય ભગવાન માથે રાખે,
કામ ના થાય તો ભગવાનને ય બદલી નાખે,
હવે આ ડફોળ તૃણને કોણ સમજાવે?
જે પોતે જ પોતાની ચિતા સળગતી રાખે..