ભક્તિરંગ
ભક્તિરંગ

1 min

21
'કણ-કણમાં જ્યાં ઈશ્વર બિરાજી, હાજરી પુરાવે છે,
જીવ ક્ષણ-ક્ષણમાં પ્રભુ-ભજન કરી જીવન સુધારે છે.
અંતરાત્મા શુદ્ધ ચિત્ત સંગ પ્રાર્થના કરી શરણે રહે છે,
આ જીવ બસ દાસ-સેવક બની નિત્યાનંદમાં વિચરે છે.
અખંડ ભરોસો હરિ પર ને નિત્ય સત્સંગ, આનંદ પમાડે છે,
ભક્તિમય મન ઘર-સંસારમાં સુખ-શાંતિ ને આનંદની પ્રાપ્તિ કરાવે છે.
શ્વાસે-શ્વાસે કરેલી એક નવી શરૂઆત મંઝિલ સુધી પહોંચાડે છે,
સત્ય-પ્રેમ-કરુણાનાં રંગોમાં રંગાઈને માનવી જીવન શણગારે છે.