માનવ અવતાર
માનવ અવતાર
ઈશની કૃપાથી મળ્યો છે માનવ અવતાર,
તનમનથી રાખી લઈએ એની સૌ સંભાળ.
કોઈ અહીં નસીબને ભરોસે બેસ્યું છે,
તો કોઈ દ્રઢ નિશ્ચયી બની આગળ વધે છે.
કોઈ આળસુ બની નિરશાને પોષે છે,
તો કોઈ પરિશ્રમથી સફળતાને પામે છે.
કોઈ ચિંતાથી વ્યાકુળ તનથી પીડાય છે,
તો કોઈ ધ્યાન યોગથી તંદુરસ્તને પ્રસન્ન રહે છે.
કોઈ દ્વેષ રાખી દુર્ગુણોને મનમાં સેવે છે,
તો કોઈ સત્ વિચારથી પ્રભુના રસ્તે ચાલે છે.
