વૃદ્ધનો પુત્રને પત્ર
વૃદ્ધનો પુત્રને પત્ર
મરણ પથારી એ વૃદ્ધે લખ્યો
પત્ર કુટુંબી જનોને
હું નહિ જીવું જાજુ
તમે બેસો હમણાં મારી આજુ બાજુ
નહિ કરતા મૃત્યુ પછી મારું શ્રાદ્ધ
મને સમય આપો થોડો આજ
નથી જમવા મારે કોઈ પકવાન
જોઈએ છે થોડો તમારો સહેવાસ
નથી ગુજારવી તમારી સાથે રાત
પણ થોડી મારી સાથે પણ કરો વાત
મૃત્યુ પછીના કરજો ભાગલાની વાત
સૌ સંપી ને રહેજો સદા સાથ
આવી પડે કોઈ વિપત,
ના છોડજો એક બીજાનો સાથ
આપ જો હાથમાં એક બીજાનો હાથ
જીવન ભર રહેજો સદા સંગાથ