માણસાઈનાં દીવા
માણસાઈનાં દીવા
માણસાઈનાં દીવા ઓલવાઈને પડેલા છે
અગણિત લોભ લાલચના જીવડા જડેલા છે,
નડે પડે જ્યાં ત્યાં માણસાઈનું નખોદ કાઢે છે
માણસમાં માણસ નહીં રાક્ષસ ભડેલા છે,
જીવાણુ પ્રકોપ જરૂર માનવતાની પડી છે
જીવમાં શીવ નહીં ઊંડે પિશાચ મળેલા છે,
માનવતા નામે પ્રપંચ કૌભાંડ અનહદ કરેલા છે
માણસમાં માણસાઈનાં બળાત્કારી પડેલા છે,
આંધળોપાટો રમતો થઈ ગયો માણા 'રાહી'
માણસને તેના મન-ભાવ નળેલા છે.