કવિનું મન
કવિનું મન
અજબ ગજબનું છે આ કવિનું મન,
જે હૃદયમાંથી ભાવો બહાર લાવે છે,
ભાવનાઓને કવિ કલમમાં ઉતારીને,
તે અદ્ભૂત કાવ્યોનું સર્જન કરે છે,
ક્યારેક ક્યારેક તો વિચારોમાં ડૂબીને,
ન જાણ્યે કેવી કલમ કવિ ચલાવે છે,
ક્યારેક હસાવે અને ક્યારેક તે રડાવે,
ક્યારેક કવિ પણ પોતે રડી જાય છે,
એવા પણ કવિઓ આ દુનિયામાં છે,
જે દેશની સલ્તનત હલાવી નાખી છે,
તો ક્યારેક આ કવિનું મન કલમથી,
દેશનું નામ પણ દુનિયામાં ચમકાવે છે,
કવિના મન સાથે આ કલમનો નાતો,
યુગો યુગો કરતાં પણ વધુ જૂનો છે,
આદર્શ કવિ આ દુનિયામાં "મુરલી",
એક અનોખો ઈતિહાસ રચી જાય છે.
